મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણએ દ્રૌપદીને જે સમજાવ્યું તે આપણે દરેકે સમજવાની જરૂર છે, જાણો દુઃખનું કારણ,
18 દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને 80 વર્ષ જેવી કરી દીધી હતી… શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ.
નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ હતી. પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા.
અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેત થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી.
એટલામાં જ શ્રીકૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે. દ્રૌપદી શ્રીકૃષ્ણને જુએ છે અને દોડીને તેમને ભેટી પડે છે. શ્રીકૃષ્ણ તેના માથા પર હાથ મુકે છે અને તેને રડવા દે છે.
થોડી વાર પછી, તે તેણીને પોતાનાથી અલગ કરે છે અને તેને બાજુના પલંગ પર બેસાડે છે.
દ્રૌપદી : આ શું થઈ ગયું સખા? આવું તો મેં વિચાર્યું નહોતું.
શ્રીકૃષ્ણ : નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી… તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી. તે આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે.
તું વેર લેવા માંગતી હતી અને તું સફળ થઈ, દ્રૌપદી! તારું વેર પૂરું થયું… માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં, બધા કૌરવો સમાપ્ત થઈ ગયા, તારે તો ખુશ થવું જોઈએ!
દ્રૌપદી : સખા, તમે મારા ઘા સાજા કરવા આવ્યા છોકે તેના પર મીઠું છાંટવા?
શ્રીકૃષ્ણ : ના, દ્રૌપદી. હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું. આપણે આપણાં કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણી સામે હોય છે… તો આપણા હાથમાં કશું રહેતું નથી.
દ્રૌપદી : તો શું, આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું શ્રીકૃષ્ણ?
શ્રીકૃષ્ણ : ના, દ્રૌપદી તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના સમજ.
પરંતુ, જો તું તારા કર્મોમાં થોડી દૂરદર્શિતા રાખતી, તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત.
દ્રૌપદી : હું શું કરી શકતી હતી શ્રીકૃષ્ણ?
શ્રીકૃષ્ણ : તું ઘણું બધું કરી શકતી હતી. જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તેં કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક ન આપી હોત. તો, કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત!
એ પછી જ્યારે કુંતીએ તને પાંચ પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો, ત્યારે તેં તેનો સ્વીકાર કર્યો ન હતો, તો પણ પરિણામ કંઈક અલગ હોત.
અને તે પછી તેં પોતાના મહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું… કે આંધળાના પુત્ર આંધળા હોય છે. જો આવું ન કહ્યું હોત, તો તારું
ચીર હરણ ન થયું હોત. તો પણ કદાચ, સંજોગો અલગ હોત.
“આપણા શબ્દો જ પણ આપણાં કર્મ હોય છે” દ્રૌપદી.
અને, આપણે બોલતા પહેલા આપણા દરેક શબ્દને તોલવા ખૂબ જ જરૂરી હોય છે, નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણને જ નહીં, પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુ:ખી કરે છે.
દુનિયામાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનું “ઝે-ર” તેના “દાંત” માં નથી “શબ્દો” માં હોય છે. તેથી સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા શબ્દનો ઉપયોગ કરો. કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે.